Gujarat Teachers’ Association for Quality Education

શિક્ષક સન્માન સમારોહ

ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન- 2025/26

ચાલો સાથે મળી ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે…. પ્રયાસ કરીએ

અમારા વિષે

વર્ષ 2017માં સ્થાપિત નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ એક અગ્રણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થા તરીકે કાર્યરત છે, જેનું ધ્યેય “શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ” છે. સંસ્થાનું મુખ્ય લક્ષ્ય એ છે કે દરેક બાળકને ગુણવત્તાસભર અને સમાન શિક્ષણની તક પ્રાપ્ત થાય.
સ્થાપના પછીથી, નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, શૈક્ષણિક કીટ વિતરણ, તેમજ ફ્રી ઓફ વર્ગો જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અમારો ઉદ્દેશ એ છે કે કોઈ પણ બાળક માત્ર આર્થિક અછતના કારણે શિક્ષણથી વંચિત ન રહે.
સંસ્થા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ શિક્ષકોના સર્વાંગી વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. વિવિધ શિક્ષક તાલીમ કાર્યક્રમો, વર્કશોપ્સ, અને સન્માન સમારંભો દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન અને નવી દિશા પ્રદાન કરવામાં આવે છે.
આગામી સમયમાં, નોલેજ વેલી ફાઉન્ડેશન ગુજરાતમાં પોતાની એસોસિએશન સ્થાપિત કરવા જઈ રહ્યું છે તથા શિક્ષક સંમેલન અને ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન સમારંભ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.
નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટનો મક્કમ વિશ્વાસ છે કે સાચી પ્રગતિનું મૂળ જ્ઞાન અને શિક્ષણમાં છે. અમારું સ્વપ્ન છે એક એવા સમાજનું નિર્માણ કરવું, જ્યાં દરેક વ્યક્તિ જાગૃત, શિક્ષિત અને આત્મનિર્ભર બને — અને એ દિશામાં અમે સતત આગળ વધી રહ્યા છીએ.

“જ્ઞાનથી વિકાસ – શિક્ષણથી સ્વાભિમાન

કાર્યક્રમનો હેતુ
નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના શ્રેષ્ઠ સારસ્વત શિક્ષકોને એક મંચ પર એકત્ર કરીને શિક્ષણ ક્ષેત્રે થતી ઉત્તમ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવાનું છે, જેથી શિક્ષણની ગુણવત્તા વધુ ઉંચી સ્તરે લઈ જવાય.
આ કાર્યક્રમ ડિસેમ્બરથી જાન્યુઆરી અંતરાલ દરમિયાન યોજાશે. ભાગ લેવા ઈચ્છતા શિક્ષકોએ નામાંકન ફોર્મમાં પોતાની શાળામાં કરેલી શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ૨૦૦ શબ્દોમાં વર્ણન આપવાનું રહેશે.
પસંદ થયેલા શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર વડે સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમનું આયોજન દરેક જિલ્લા અથવા ઝોન સ્તરે કરવામાં આવશે, જેથી રાજ્યભરના તમામ શિક્ષકોને ભાગ લેવાની તક મળી શકે. કાર્યક્રમની તારીખ અને સ્થળની માહિતી સમયસર જાહેર કરવામાં આવશે.

ગુજરાત એ શ્રેષ્ઠ સારસ્વત શિક્ષકોની ભૂમિ છે.

ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન કાર્યક્રમ

  • નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણક્ષેત્રે કાયમી સમર્પિતતાથી કાર્યરત એવી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ, જેમનું ધ્યેય માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવાનું નહીં, પણ સંસ્કાર, માનવીય મૂલ્યો અને સામાજિક જવાબદારીઓનો વિકાસ કરવાનું છે. ગુજરાતના શિક્ષણજગતમાં ગુણવત્તા, નવીનતા અને સમર્પણના પ્રેરક દ્રષ્ટાંતરૂપ એવા શ્રેષ્ઠ શિક્ષકોને ઓળખીને તેમને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરીએ એ અમારું ગૌરવ છે. આ સન્માન તેમના શિક્ષણ જીવનમાં કરેલા ઉલ્લેખનીય કાર્ય, નિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને ઉજાગર કરવાનું એક પાવન પગલું છે. ટ્રસ્ટનો મક્કમ વિશ્વાસ છે કે આવા કાર્યક્રમો દ્વારા શિક્ષકોના યોગદાનને માન્યતા મળે અને નવી પેઢીમાં શિક્ષણ પ્રત્યે નવી ઉર્જારૂપી દૃષ્ટિ ઉભી થાય છે.

દ્રષ્ટિ (Vision):
શિક્ષકોમાં જ્ઞાન અને સંસ્કાર પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવીને તેમને પરિપક્વ નાગરિક તરીકેનું ઘડતર અને તેમનું ભવિષ્ય તેજસ્વી બનાવવું.

  • શિક્ષક એ સમાજનો સૌપ્રથમ માર્ગદર્શક છે. જ્ઞાન આપવાની સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોના સંચારની જવાબદારી પણ શિક્ષકની છે. નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટનો મક્કમ વિશ્વાસ છે કે શિક્ષકોમાં જ્ઞાન સાથે સંસ્કાર પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી અત્યંત જરૂરી છે. આવા શિક્ષકો જ બાળકોમાં સકારાત્મક વિચારોનું બીજ રોપી શકે છે અને નવા ભારતના ઘડવૈયા બની શકે છે. આ દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખી અમે શિક્ષકોને તાલીમ, પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. તેમનું સર્વાંગી વિકાસ થાય, તેઓ સતત શીખતા રહે અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે એજ અમારો પ્રયાસ છે. શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે એજ અમારો પ્રયાસ છે. શિક્ષક ઘડાશે તોજ સમાજનું ઘડતર થશે.

નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ એ માન્યતા ધરાવે છે કે સારો શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતો નથી, પરંતુ બાળકના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. તે સંસ્કાર આપે છે, વિચારી શકવાની ક્ષમતા વિકસાવે છે અને વિદ્યાર્થીઓને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગે પ્રેરિત કરે છે. શિક્ષણ માત્ર શાળા કે વર્ગખંડ સુધી મર્યાદિત નથી, પરંતુ તે એક સાચા નાગરિકનું ઘડતર કરે છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓમાં નૈતિકતા, પ્રમાણિકતા અને નવી વિચારશક્તિ વિકસાવે છે. આવા શિક્ષકો સમાજ માટે આશા ની કિરણ સમાન હોય છે. નોલેજ વેલી ફાઉન્ડેશન અને પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ એવા શિક્ષકોને પ્રેરણા રૂપી પ્રોત્સાહન આપી રહેલ છે, જે માત્ર ભણતરની સાથે, દિલ અને મન પર ગહેરી છાપ છોડે છે.

શિક્ષક સમીક્ષાઓ

ગુજરાતના દરેક શિક્ષકને પ્રોત્સાહિત કરીને શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉર્જા અને પ્રેરણા લાવવી, જેથી ગુજરાતનું શિક્ષણ સ્તર વધુ ઊંચું ઉઠે અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધ વધુ મજબૂત બને.

“આ સંસ્થાએ મને માત્ર શિક્ષક તરીકે નહિ, પરંતુ એક નેતા તરીકે વિકસવા માટે પ્લેટફોર્મ આપ્યું. અહીં મળેલી માન્યતા અને સન્માનથી હું ખૂબ પ્રેરિત થઈ છું.”

શ્રીમતી કિરણબેન પટેલ

શિક્ષિકા, અમદાવાદ

“વિદ્યાર્થીના ભવિષ્ય ઘડવાનું જે દાયિત્વ આપણા પર છે, તે માન્યતા મળવી એ ખૂબ આનંદદાયક અનુભવ છે. આ કાર્યક્રમ મારાં માટે જીવંત સ્મૃતિ બની રહેશે.”

શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ

શિક્ષક, રાજકોટ

Updates

શિક્ષકોના સન્માનની પ્રક્રિયા


  1. પસંદગી પ્રક્રિયા:
    દરેક જિલ્લામાંથી વિવિધ કેટેગરી અનુસાર શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે શિક્ષણ ક્ષેત્રે આપેલ યોગદાન, નવીન કાર્ય, વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા સામાજિક ભાગીદારી જેવા માપદંડો ધ્યાને લેવામાં આવશે.
  2. સન્માન સ્વરૂપે આપવામાં આવશે:
    પસંદ કરાયેલા શિક્ષકોને સમારંભ દરમ્યાન નીચે મુજબ સન્માન આપવામાં આવશે:
  3. પ્રમાણપત્ર: શિક્ષકના યોગદાનની સત્તાવાર માન્યતા તરીકે.
  4. ફૂલમાળા અને આવકાર: સમારંભમાં વ્યક્તિગત સન્માન સાથે.
  5. વિશેષ માન્યતાઓ:
    કેટલાક વિશિષ્ટ શિક્ષકોને “પ્રેરણાસ્ત્રોત શિક્ષક સન્માન” અથવા “જીવનભરનું શિક્ષણ યોગદાન સન્માન” જેવા વિશેષ ખિતાબો પણ આપવામાં આવશે.